રોજ રાત્રે ઊંગતા પહેલા આ 2 મંત્ર બોલી નાખો અઢળક ધન આવશે, ધન અપાવનાર મંત્રો…

રોજ રાત્રે ઊંગતા પહેલા આ 2 મંત્ર બોલી નાખો અઢળક ધન આવશે, ધન અપાવનાર મંત્રો…

સારી ઊંઘ : આદ્યાત્મિક ઝુકાવ ધરાવતી કોઈપણ વ્યક્તિ સ્વીકારશે કે સ્વાસ્થ્ય સંબંધી બધી જ સમસ્યાઓનો ઉકેલ દવાની બોટલમાં નહિં પરંતુ માણસના મનના ઊંડાણમાં છે. આજના સમયમાં અનેક લોકો અનિદ્રાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. કેટલાંક લોકોને રોજ રાત્રે ખરાબ સપના આવે છે અને લાખ પ્રયત્ન છતાંય તે ખરાબ સપનાથી છૂટકારો નથી મેળવી શકતા. ઘણા લોકો ઊંઘ માટે દવાની ગોળીના રવાડે ચડી જાય છે જેની અનેક સાઈડ ઈફેક્ટ્સ હોય છે

આયુર્વેદમાં મંત્રનો ઉલ્લેખ

તમને જાણીને નવાઈ લાગશે પણ સારી ઊંઘ માટે આયુર્વેદમાં કેટલાંક મંત્રોનો ઉલ્લેખ છે. અમુક મંત્રો તો 5000 વર્ષ કરતા પણ જૂના છે. આ મંત્રો આપણી વૈદિક સંસ્કૃતિનો હિ્સો છે. આયુર્વેદ મુજબ સારી ઊંઘ થાય તો જ વ્યક્તિ પોતાની શરીરની ઉર્જાને યોગ્ય રીતે સક્રિય કરી શકે છે

અનિદ્રાનું કારણ

આયુર્વેદ મુજબ અનિદ્રાની સમસ્યા વાત દોષના કારણે ઊભી થાય છે. વાત દોષ શરીરમાં ઉર્જાના પ્રવાહને કારણે ઉત્પન્ન થાય છે. જો તમને આ દોષ હશે તો તમે સ્વસ્થતા નહિ અનુભવી શકો, ન તો તમારુ દિમાગ શાંત રહેશે. સારી ઊંઘ મેળવવા માટે વાત દોષને નિયંત્રિત કરવો જરૂરી છે.

મંત્ર શક્તિ

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ધ્યાન અને મંત્ર ઉચ્ચારણથી જીવન શૈલી સ્વસ્થ બને છે અને જીવનમાં આરામ મળે છે. મંત્ર શક્તિ એક એવી શક્તિ છે જેના ઉચ્ચારણથી ખરાબમાં ખરાબ સમસ્યાનો ઉકેલ મળી શકે છે. રાત્રે શક્તિશાળી મંત્રોના ઉચ્ચારણને કારણે અનિદ્રાનો શિકાર બનતી વ્યક્તિ પણ શાંતિથી ઊંઘી શકે છે.

જાણો કયા છે મંત્ર

પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ સૂતા પહેલા અમુક મંત્રનો જાપ કરવાનો રિવાજ છે. તેમાં તમારે તમારી જાતને એટલું જ કહેવાનુ છે- હું શાંત અને સ્થિર છું. દુનિયા ઊંઘી રહી છે અને બધુ જ ઠીક છે. હું ઊંઘનું સ્વાગત કરુ છું. હું ઊંડાણપૂર્વક અને શાંતિથી શ્વાસ લઈ રહ્યો છું. દરેક શ્વાસ સાથે હું વધુને વધુ આરામ મહેસૂસ કરી રહ્યો છું. આ રટણથી તમને સારી ઊંઘ આવી જશે.

ચાર અક્ષરનો જાદુઈ મંત્ર

સા તા ના મા. ચાર અક્ષરનો આ મંત્ર એટલો ચમત્કારિક છે કે તે દિમાગની અંદર જઈને નસોને શાંત કરે છે. આ ચારેય અક્ષર તમે સાથે બોલશો તો તમને સતનામ જેવુ લાગશે. આ મંત્રનો અર્થ કંઈક આવો થાય છેસ- જન્મ, બ્રહ્માંડનો ઉદભવત- જીવનન- મૃત્યુ અને બદલાવમ- પુનર્જન્મતેના સતત જાપથી એક લય બનશે જે તમારુ દિમાગ શાંત કરશે, તમારા શરીરના ચક્રોને એક્ટિવેટ કરશે, તમારી પિનિયલ અને પિચ્યુટરી ગ્રંથીઓને નિયંત્રણમાં રાખશે.

બીજો મંત્ર

અન્ય એક મંત્ર છે હર હર મુકુન્દે. આ મંત્ર દિમાગને શાંત કરી સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે. આ મંત્ર દિમાગના બધા જ ભય દૂર કરે છે, માનસિક બાધાઓમાંથી બહાર આવવામાં મદદ કરે છે.

ગણેશ મંત્ર

સૂતી વખતનો સૌથી સારો ધાર્મિક મંત્ર છે ભગવાન ગણેશજીનો મંત્ર. તે ખરાબ સપનાની શક્યતાઓનો જડમૂળથી નાશ કરે છે. ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા- ઓમ ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો

શાબર મંત્ર

ઊંઘતા પહેલા હનુમાનજીના શાબર મંત્રનો જાપ પણ ઘણો અસરકારક પુરવાર થાય છે. તેનાથી ભૂતપ્રેતનો ડર અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *