દરરોજ સવારે ઘરના મુખ્ય દરવાજા પાસે આ ચીજો રાખી દો અઢળક પૈસો આવશે, વાસ્તુ પ્રમાણે આ ચીજો રાખવી..

દરેક ઘરમાં એક મુખ્ય દરવાજો તો હોય જ છે. આ દરવાજામાંથી જ પ્રવેશ કરી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરે છે. ઘરના મુખ્ય દરવાજામાંથી સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઊર્જા ઘરમાં પ્રવેશે છે. એટલા માટે જ વાસ્તુ શાસ્ત્રમાં જણાવાયું છે કે મુખ્ય દરવાજા માટેના નિયમોનું પાલન થાય તો ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધતો નથી.
ઘરનો મુખ્ય દરવાજો વાસ્તુ અનુસાર બનેલો હોય તો ઘરમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહે છે અને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. ઘરનો મુખ્ય દરવાજો બનાવો ત્યારે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. તો ચાલો જાણીએ કે ઘરનો મુખ્ય દરવાજો બનાવતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ઘરના મુખ્ય દરવાજા માટેના વાસ્તુ નિયમો
1. ઘરનો મુખ્ય દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે અવાજ ન કરવો જોઈએ.
2. મુખ્ય દરવાજો પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ બનાવવો.
3. ઘરના મુખ્ય દરવાજા સામે દાદર ન હોવો જોઈએ.
4. મુખ્ય દરવાજો ઘરની વચ્ચે નહીં પરંતુ જમણી અથવા ડાબી તરફ હોવો જોઈએ.
5. મુખ્ય દરવાજાની સામે ઝાડ, દીવાલ, થાંભલા જેવી વસ્તુઓ ન હોવી જોઈએ.
6. ઘરના મુખ્ય દરવાજાનો ઉંમરો રસ્તા કરતાં ઊંચો હોવો જોઈએ.
7 .વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો એવી રીતે બનાવવો કે તે ઘરની તરફ એટલે કે અંદરની તરફ ખુલે. મુખ્ય દરવાજો બહારની તરફ ખુલતો હોય તો સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં