આ છે દેશના સૌથી સમૃદ્ધ મંદિરો, ભક્તો દ્વારા કરવામાં આવે છે કરોડો રૂપિયાનું દાન

આ છે દેશના સૌથી સમૃદ્ધ મંદિરો, ભક્તો દ્વારા કરવામાં આવે છે કરોડો રૂપિયાનું દાન

આપણા દેશમાં મંદિરો (Temple)નું અનોખું મહત્વ રહેલું છે, ધર્મ અને જાતિ પ્રમાણે દેશના લોકોની આસ્થા અનેક મંદિરો સાથે જોડાયેલી છે, ત્યારે દેશના લોકો આસ્થાની સાથે સાથે મંદિરોમાં દાન કરવા માટે ધન દાન કરતા હોય છે જેમાંથી કેટલાક લોકો ગુપ્ત દાન પણ કરતા હોય છે. ત્યારે આપણે આજે અમે તમને દેશના સૌથી વધારે ધનવાન મંદિરોની યાદી તમને જણાવવા જઈ રહ્યા છે. જ્યાં દેશમાં સૌથી વધારે ધનનું દાન આવે છે.

કેરળનું પદ્મનાભ સ્વામીનું મંદિર: કેરળના તિરુવનંતપુરમમાં સ્થિત પદ્મનાભ સ્વામી એ દેશનું સૌથી ધનવાન મંદિર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેના 6 સેફમાં કુલ 20 અબજ ડોલરની સંપત્તિ છે. જ્યારે અહીં હાજર ભગવાન મહાવિષ્ણુની મૂર્તિ સંપૂર્ણ સુવર્ણ છે. તેની કુલ કિંમત 500 કરોડ હોવાનું કહેવાય છે. તેની સંપત્તિને લઈને ઘણા વિવાદ થયા છે અને તેથી સુપ્રીમ કોર્ટે તેમ દાખલ કરવી પડી હતી.

તિરૂપતિ બાલાજી મંદિર: દરરોજ લગભગ 60,000 શ્રદ્ધાળુઓની આવક ધરાવતા મંદિરમાં આસ્થાળુઓના વાળ પણ ઉતરવવામાં આવે છે તેવી એક પરંપરા હોવાનું કહેવાય છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ મંદિરોમાં તિરુમાલા તિરૂપતિ બાલાજીનું નામ પણ શામેલ છે. તેની કુલ વાર્ષિક આવક 650 કરોડ રૂપિયા છે

શિરડી સાંઈ બાબા મંદિર: મહારાષ્ટ્રના અહેમદ નગરમાં આવેલા શિરડી સાંઈ બાબા મંદિર દેશમાં ઘણું પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે. દર વર્ષે, લાખો લોકો વિદેશથી અહીં મુલાકાત લેવા આવે છે. શિરડી સાઈ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ દક્ષિણના મંદિરમાંથી અગાઉ વર્ષે વાર્ષિક 480 કરોડ રૂપિયા દાન આપ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે, પરંતુ છેલ્લા આંકડા વાર્ષિક રૂ. 360 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું.

સિદ્ધિવિનાયક મંદિર : મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર પણ ખૂબ જ પ્રખ્યાત છે. અહીં દરેક સામાન્ય, વિશેષ અને સેલિબ્રિટી લોકો દર્શન કરવા આવતા હોય છે. સામાન્ય રીતે દરરોજ 25 હજાર લોકો આ મંદિરની મુલાકાત લેતા હોય છે. જ્યારે ગણેશ ચતુર્થી પર અહીં આવનારા લોકોની સંખ્યા લાખો સુધી પહોંચે છે. એક અહેવાલ અનુસાર આ મંદિરને વાર્ષિક 75 થી 125 કરોડ રૂપિયા ભક્તોના દાનથી મળે છે.

વૈષ્ણો દેવી મંદિર: જમ્મુમાં આવેલ માતા વૈષ્ણો દેવી મંદિર આખા દેશમાં લોકપ્રિય છે. અહીં આખું વર્ષ હજારો લોકો આવે છે. એક અનુમાન મુજબ વાર્ષિક આશરે 80 લાખ લોકો વૈષ્ણો દેવીની મુલાકાત લે છે. એક ખાનગી પ્રવાસી સાઇટના અહેવાલ અનુસાર વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડને ભક્તોના દાનથી વાર્ષિક લગભગ 500 કરોડ રૂપિયાની આવક થાય છે.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *